March 2009


અનંત આકાશમાં અસંખ્ય જ્યોતિપિંડો નજરે પડે છે. પૃથ્વીના પરિધમાં આવતા તારકસમૂહનો એક પ્રકાશપટલ કલ્પવામાં આવ્યો છે. એને ભચક્ર કહે છે. એના સત્તાવીશ ભાગ પાડી સત્તાવીશ નક્ષત્રો નક્કી કરવામાં આવ્યાં છે. ગણતરીની સરળતા ખાતર ‘અભિજિત’ નામનુ વધારાનું એક નક્ષત્ર ઉમેરી કુલ અઠ્ઠાવીસ નક્ષત્ર નિર્ધારિત કર્યા છે.

નક્ષત્રોનાં નામ :

અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મુળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, ધનિષ્ટા, શતતારા, પૂર્વાભાદ્રા, ઉત્તરાભાદ્રા, રેવતી.

પ્રત્યેક નક્ષત્રને ચાર ભાગમાં વિભાજિત કરી એને ચરણ કહેવામાં આવ્યા છે. આ ચરણોના ચોક્કસ અક્ષર નક્કી કરવામાં આવ્યા છે. જાતકના જન્મકાલીન નક્ષત્ર અને એના ચરણાક્ષર પર એનું નામ રાખવામાં આવે છે.

બલ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વણિજ, વિષ્ટિ, શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંસ્તુધ્ન,  આ કરણોનાં નામ છે. પ્રત્યેક કરણમાં કરવાનાં કાર્યોની વિગતો આગળ વિસ્તારમાં આપવામાં આવશે.